ન લાગણીઓ હણાયેલી લખવી છે,
પશવારી હોય પ્રેમથી ક્યારેક,
એવી એક અમર પળ લખવી છે,
અજવાળી શકાતી હોય જો રાત શબ્દોથી,
અમાસી રાતે મારે ચંદ્રતા લખવી છે,
ન કાવ્યમાંની કરામત લખવી છે,
ન ગઝલની કોઈ બાંધણી લખવી છે,
સૂરોથી ભરપૂર હોય એવા મૌનની,
મધુર એક રાગણી લખવી છે,
મારા પછી પણ લોક વાંચી જાણે,
બસ એવી મારી જુબાની લખવી છે.
2 comments:
wah superb Digi...
Use your precious moments to live life fully every single second of every single day.
Post a Comment