હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..
થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..
ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..
પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે.
Saturday, December 8, 2007
બે-ચાર પળ
Posted by હું.. દિગીશા શેઠ પારેખ, at 11:53 AM
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
બહું જ સરસ લખ્યું છે.
થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..
બહુ જ સરસ.
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે.
ક્યારે મલશે એ આરામ?????????????
oyeee.... bahu j saras chhe...pan have pachi kyarey aavu lakhish k boli chhe ne...to....joileje...
Post a Comment