કોણ જાણે કેમ..
હજીયે..આમ થાય છે..?
મેળવ્યુ તો છે,ઘણું ય..
પણ કેટલુય ખુટતુ જાય છે..
તારી સુવાસ હજીયે..
મને કેમ મહેકાવી જાય છે...?
હું તો તરસી નથી..
પણ તારી લાગણીઓ પીવાય જાય છે..
મન મારુ હજીયે...
કેમ તારા તરફ ખેંચાય છે...?
મૃત્યુ નો તો ડર નથી..
એટલે જ આ જીવન જીવાય જાય છે..
મળે છે અગર તને ખુશીઓ..
તો આનંદ મને જરૂર થઇ જાય છે..
પણ ક્યારેક વિતાવેલી એ ક્ષણો...
વર્તમાન ને કેમ ગુંચવી જાય છે...?
Thursday, July 5, 2007
આમ કેમ થાય છે..
Posted by હું.. દિગીશા શેઠ પારેખ, at 5:48 PM
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
very nice..!
Post a Comment