Saturday, August 16, 2014

કૃષ્ણાર્થમ્.

પર્વત પરથી પથ્થર ત્યારે જ પડે છે જ્યારે એ દ્રઢતાથી પર્વત પર ના બેસ્યો હોય.
હું, કૃષ્ણ,
 ગીતાની ગરીમા ધ્વારા કર્મ યોગ અને ભક્તિ યોગ નો કેવળ માર્ગ બતાવી શકુ છું.
પરંતુ..હે માનવ, કિચડ માથી કમળ બની ને ઉગવાનું તો તારે છે.હું પૃથ્વીનાં કણ કણ માં વસુ છું,અત્ર તત્ર સર્વત્ર વાસ કરુ છું.ભ્રમાંડનાં અંશ અંશ માં છું,ગ્રહ ,નક્ષત્ર,તારા મડંળના અસ્તિત્વમાં છું.પરંતુ એમા વસેલા કૃષ્ણને શોધી આત્મજ્ઞાન મેળવવાનું તારે છે, હે..માનવ.

 જે માનવુ પડે છે એ સત્ય નહિ પણ આભાસ છે, પડછાયાની જેમ જ.અને પડછાયો હંમેશા પ્રકાશની વિરૂધ્ધ દિશામાં પડતો હોય છે.માટે જ કૃષ્ણમાં કેવળ માનવાની જરૂર નથી પરંતુ કૃષ્ણની મહિમા ને સમજી ને અપનાવાની જરૂર છે.
 મનુષ્ય જ્યારે પર્વત ચઢતો હોય ત્યારે એ પર્વતને પોતાના યોગ્ય નથી બનાવી શક્તો પરંત પોતાને પર્વતને યોગ્ય બનાવી શકે છે.એજ પ્રમાણે જીવન માટે પણ આજ નિયમ લાગુ પડે છે.મનુષ્ય જીવનને પોતાને યોગ્ય બનાવવા કરતા પોતાને જીવન ને યોગ્ય બનાવે તો સફળતા અને સુખની પ્રાપ્તી થાય છે.
પરંતુ મનુષ્ય તો પોતાની ભાવનાઓ અને વચનો ને જ માન અને મહત્વ આપે છે જીવનભર અને બિજાની ભાવનાઓ , લાગણીઓ અને વચનોની કિંમત જાણવા પ્રયાસ જ નથી કરતો.ભાવનાઓ આપણને અંધ બનાવી દે છે પરંતુ એનો અર્થ એ પણ નથી કે હરેક વખતે કઠોર બની જઈ ભાવનાઓ નો ત્યાગ કરવો કે અવગણના કરવી.જ્યાં પ્રેમ હોય છે ત્યાં મોહ પણ હોય જ છે પરંતુ પ્રેમ મુક્તિ અપાવે છે અને મોહ બાંધી દે છે.જ્યાં પ્રેમની આપ-લે સદાય થતી રહે છે ત્યાં મોહ જન્મી જ નથી શક્તો.પ્રેમ સામે પ્રેમની ઈચ્છા એ માનવ નો સ્વભાવ છે.
 ઈચ્છા,આકાંશા,અપેક્ષાઓ ની ધાર પર જ માનવ સમાજ ચાલે છે.ઘણીવાર મનુષ્ય પોતે અંદરથી મરી પામે છે પણ લગાવ અને ઈચ્છાઓ ને નથી મારી શક્તો.સંબધો માં સંપૂર્ણ સુખ અને સંતોષ શોધે છે અને જીવનભર એ સંબધોથી અપેક્ષીત રહે છે.પરંતુ જ્યારે ઈચ્છાઓ અધૂરી રહે છે, આકંક્ષાઓ તૂટી જાય છે ત્યારે શરૂઆત થાય છે ઘર્ષણ અને સંઘર્ષની.અને એ પછી મનુષ્ય પ્રેમ દર્શાવવાનું છોડી કેવળ શક્તિ પ્રદર્શીત કરે છે.સપનાઓ ની પાછય સદાય ભગતો મનુષ્ય એ ભૂલી જાય છે કે શક્તિ નો અર્થ હંમેશા સંઘર્ષ નથી હોતો,કર્મ કરી ને પણ શક્તિ પ્રદર્શીત કરી શકાય છે.
 સમાજનો દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઇ ને કોઇ રીતે નિર્બળ તો હોય જ છે.હરેકમાં પ્રબળ શક્તિ અને સબાળતા નથી હોતી.ઘણા લોકો પોતાની શક્તિ અને બળને જાણી લઈ એનો ઉપયોગ જીવન ને સમર્થ બનાવવા કરે છે તો ઘણા પોતાની નિર્બળતાને જીવનની મર્યાદા બનાવી દે છે.નિર્બળતાને કેન્દ્ર બનાવી જીવવાથી માત્ર દુઃખ અને અસંતોષ પ્રાપ્ત થાય છે.નિર્બળતા જરૂર જન્મથી પ્રાપ્ત થાય છે અથવા ઈશ્વર આપે છે પરંતુ એની મર્યાદા ફક્ત માનવી નું મન સિમીત કરી શકે છે.
 સ્ત્રીના ગર્ભથી મનુષ્ય રૂપે જન્મ લેનાર ચમત્કાર નથી કરી શક્તા પરતુ મનુષ્ય જ્યારે સ્વાર્થ અને મોહ નો ત્યાગ કરી ધર્મની સ્થાપનાનો હેતુ હ્રદયમાં રાખે ત્યારે ઈશ્વર જરૂર ચમત્કાર કરે છે.કોઇ પણ યુગમાં જ્યારે મનુષ્ય પોતાને સમગ્ર આશાઓ,ઈચ્છાઓ,વિચારો,
સંકલ્પો,નિર્ણયો માંથી મુક્ત કરી મારાથી જોડાઈ જશે ત્યારે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે અને મુક્તિને સમર્પિત થઈ જશે.

સમજ પ્રમાણે ઢાળેલા મારા ઉપરોક્ત શબ્દો માં જો કૃષ્ણની ભ્રાંતી તમોને થશે તો મારો જન્મ સુધરી જશે.
જય શ્રી કૃષ્ણ.

Thursday, August 7, 2014

પા ભાગની પ્રેયસી~A short story

કૉફીના મશીનમાં પિસાતા કૉફીબીન્સ ને એકી ટસે જોઇ રહેલી અમી ને...

કૈરવઃ બસ,એમ જ ત્યાં જોતી રહે, તારી આંખો મને પરફેટ દેખાય છે અંહિ થી.

(એક ઊંડો શ્વાસ લઈ ને છોડતા છોડતા..કૈરવ સામે જોઈ)
અમી : મારી આંખો પેરફેટ દેખાતી હશે તને પણ નજરો નથી, માણસ ઓળખતા નથી આવડતુ એને.

કૈરવઃ તુ હવે યાર...બસ કરને, આપણે serious વાતો જ કરવાની છે?
તુ wrong છે અમી સાચુ.
પરીસ્થીતી પ્રમાણે બદલાઈ જવાનુ.
બધુ છોડતા શીખ.

 અમીઃ તને હું wrong નથી લાગતી હવે, મારી લાગણીઓ wrong લાગે છે,બધુ છોડુ તો છુ..દૂર તો જઈ રહી છુ તારી life થી.
અને હું એટલી હદે wrong નથી બસ તારાથી અલગ છું તારા જેવી નથી.
તારા જેવા બની ને તારા જોડે રહેવાનો શું અર્થ?
તુ ઘડી ઘડી બદલાઈ જાય તો મારે પણ એમ બદલાયા જ કરવાનું?

કૈરવઃ પરીવર્તન તો આવે બધુ એમ જ ના રહે માણસ બદલાઈ જાય.
change is the life and real meaning of life.

અમીઃ હું પણ પરીવર્તનમાં માનુ જ છુ તારા માટે હું પણ બદલાઈ જ છુ,
સમય અને સંજોગનું પરીવર્તન વ્યક્તિને સમર્થ બનાવે છે,
પણ વ્યક્તિ મા આવતુ ભારે પરીવર્તન એની સાથે જોડાયેલ બિજી વ્યક્તિઓ ના જીવન ને અસમર્થ બનાવે છે.
તુ પહેલાની જેમ ના રહે કમ સે કમ લાગણીઓ તો પહેલા જેમ રહે કે નહી?

કૈરવઃ તો લાગણી તો છે જ ને,પણ જરૂરી નથી કે જતાયા કરીયે.
તે મારી propasal ના જવાબ ના પાડી હોત તો શું હું મજનૂ બની જતો?
પડી રહેતુ એ બધું એક ખૂણામાં એમા શું.

અમીઃ ખૂણામાં તો કચરો કાઢી ને ઢગલી કરાય કે આવતા જતા એ પગમાં ના આવે.
મારી હા પછી પણ જે આપણી વચ્ચે થયુ જે રીતના સંબધ બંધાયા એનું મુલ્ય તારા
મન આટલું જ છે?
તો આટલુ સમજી લે કે મે તને પ્રેમ કર્યો છે અને કરતી રહીશ પણ હું કોઈ ક્રિકેટ boll નથી કે તુ સામેની દિવાલ પર જોર પુર્વક પટકીશ તો એટલી જ જોર પૂર્વક હું ધસી ને તારી પાસે આવીશ.
હું તીર છું, જેટલુ જોર પૂર્વક ખેંચી બાણ માંથી છોડીશ એટલું જ ઊંડુ સામે જઈ ભોંકાઈ જઈશ.

કૈરવઃ તુ તો બંધૂક માંથી છૂટેલી ગોળી છે, જોખમી...છે.
માણસ ઉપર જ પહોચી જાય.
હા...હા..હા..

અમીઃ Shut Up.

કૈરવઃ અરે હા..ચેતન ભગતની નવી બુક લોન્ચ થઈ "Half Girlfriend" ખબર છે?

(પર્સ લઈ ને ઊભા થતા થતા)
અમીઃ એમણે તો half girlfriend પણ રાખી તે તો મને પા ભાગની પ્રેયસી પણ નથી માની.
તારા મન હું શું છુ એ જ નથી ખબર.
કૈરવઃ(મજાક કરવા) Multi Purpose.

(અમીને ફરી Shut Up બોલવાનું અર્થહિન લાગ્યું.)
ખૂમારી થી કૈરવ સામે જોઈ એ બોલીઃ
તુ જે પ્રમણે રાખવા ઈચ્છે છે એ પ્રમાણે બે વ્યક્તિ વચ્ચે સંબધ ના રહે,
ફક્ત ઓળખાણ રહે.
અને એ આપણા વચ્ચે કાયમ રહેશે.
chair દૂર કરી એ કૉફી શૉપના દરવાજા તરફ આગળ વધી.

કૈરવઃ (અમી તરફ પાછળ મો કરી ને)
ઓય, પા ભાગની પ્રેયસી..બહાર બહુ જ વરસાદ છે ક્યાં જાય છે પલળી  જઈશ.

અમીઃ (હાસ્ય સાથે)
વરસાદ તો બહાર પણ છે અને મારી અંદર પણ,જાણું છું એટલુ જલ્દી બધુ સુકાશે નહીં.
પણ હવાઈ જ ગયુ છે તો હવે પલાળી પણ જોઈએ.
Good Bye.
કાચના દરવાજા પર પછડાતી વાછટ ની વચ્ચે "Pull" ના Sticker ને કૈરવ જોઈ રહયો.

"વસ્તુ હોય કે વ્યક્તિ નિયમ એકજ લાગુ પડે છે,
ધક્કો મારવો સહેલો છે, પાસે લાવવુ અઘરુ છે."